યોજનાનો ઉદ્દેશ / હેતુ | ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના આદિજાતિ માછીમાર પ્રમાણિત રીતે વર્ષો થી કુદરતી જળરાશીમાંથી પોતાની આજીવિકા માટે માછીમાર કરતો આવ્યો છે. પરંતુ કુદરતી મત્સ્ય ઉત્પાદનની એક મર્યાદા હોય છે. આ આદિજાતિ માછીમાર વૈજ્ઞાનિક પધ્ધતિથી મત્સ્ય ઉછેર કરી તેઓની આવક વધે અને તેઓનું જીવન ધોરણ ઉંચુ આવે અને આદિજાતિ માછીમારના જીવન ધોરણમાં સુધારો કરવા તેમજ તેઓની આવક બમણી કરવા હેતુ થી "ફીશ ફાર્મિંગ એન્ડ કેઝ કલ્ચર યોજના”નું અમલીકરણ કરવામા આવેલ છે. |
પાત્રતાના ધોરણો | • આ યોજના આદિજાતિ વિસ્તારના મીઠા પાણીમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આવેલ આદિજાતિ લાભાર્થીઓને લાભ આપવાનો રહેશે.
• આ યોજનામાં એફ.આર.એ, આદિજાતિ મહિલા, અને ડેમના અસરગ્રસ્ત લાભાર્થીઓને પ્રાધાન્ય આપવાનું રહેશે. |
યોજના અંતર્ગત મળતી સહાય | ફીશ કેઝ કલ્ચર માટેનું માપ ૬મી x ૪મી x ૪મી ની ક્મિત, ખોરાક અને મત્સ્યબીજ પેટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે સહાય પ્રતિ લાભાર્થી રૂ,૩.૦૦ લાખ યુનિટ કોસ્ટની મર્યાદામાં ૬૦% લેખે રૂ.૧.૮૦ લાખ અથવા ખરેખર કિંમતના ૬૦% એ બે માંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
|
અમલીકરણ કરતી સંસ્થા/ સંપર્ક અધિકારી | ૧૪ આદિજાતિ જીલ્લા કક્ષાએ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી |
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા | 1. લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો.
2. આધારકાર્ડ
3. રેશનકાર્ડ
4. લાભાર્થીની બેંક ખાતાની પાસબુકની નકલ
5. એફ.આર.એ એક્ટ હેઠળ મળેલ જમીનની સનદ |