યોજનાનો ઉદ્દેશ / હેતુ | ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના આદિજાતિ પશુપાલકોની આવક વધે અને તેઓનું જીવન ધોરણ ઉંચુ આવે તે હેતુ થી બકરા ઉછેર યોજનાનું અમલીકરણ કરવાનું આયોજન છે. આદિજાતિ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ડુંગરાળ અને અંતરિયાળ પ્રદેશમાં વસવાટ કરે છે, આવા પ્રદેશમાં વરસાદનું પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થતું હોવાથી ઘાસચારો વિપુલ પ્રમાણમાં થતો ન હોવાના કારણે આવા ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા બકરા-બકરીના યુનિટની સહાય આપી તેઓની આવક બમણી કરવાનો આ યોજનાનોં હેતુ છે |
પાત્રતાના ધોરણો | આ યોજનાનો લાભ ફક્ત આદિજાતિની પુખ્તવયની મહિલા લાભાર્થીઓને જ આપવાનો રહેશે, તેમજ આજીવન એક જ વખત લાભ મળવાપાત્ર રહેશે. |
યોજના અંતર્ગત મળતી સહાય | ૧૦ બકરી અને ૧ બકરો ખરીદ કરવા માટે
રૂ. ૪૫૦૦૦/-સહાય આપવામાં આવે છે. |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
|
અમલીકરણ કરતી સંસ્થા/ સંપર્ક અધિકારી | ૧૪ આદિજાતિ જીલ્લા કક્ષાએ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી |
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા | ૧.લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
૨.જાતિનો દાખલો
૩.બેંક પાસબુકની નકલ
૪.આધારકાર્ડની નકલ
૫.રેશનકાર્ડ નકલ |