યોજનાનો ઉદ્દેશ / હેતુ | અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને જી.પી.એસ.સી વર્ગ-૧ અને ૨ તથા સ્પીપા પ્રવેશ માટે યોગ્ય માર્ગદર્શન અને અંતરિયાળ વિસ્તારમાં કોચિંગ મળી રહે. અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ ના પદ પર વધુમાં વધુ યુવાનો ઉતીર્ણ થાય અને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય માટેના પ્રયત્નો કરવા. |
આવક મર્યાદા | વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. (સરકારશ્રી દ્વારા વખતો વખત આવક મર્યાદામાં થનાર સુધારો લાગુ થશે)
|
પાત્રતાના ધોરણો | • આદિજાતિ તાલીમાર્થી જે-તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત થયેલ ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
• આદિજાતિ તાલીમાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા માંગતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે પસંદગી કરવામાં આવશે.
• અરજદારશ્રીએ જી.પી.એસ.સી. વર્ગ-૧ અને વર્ગ-૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઈએ. |
યોજના અંતર્ગત મળતી સહાય | આદિજાતિના જિલ્લાઓના અંતરીયાળ વિસ્તારમાં કોચિંગ સેન્ટર શરુ કરી નિષ્ણાંત શિક્ષકો, કોચિંગ મટેરીયલ, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ વગેરે વિધાર્થીઓને પુરૂ પાડવામાં આવે તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય તરીકે (ડાયરેક્ટ બેનીફીશિયરી ટ્રાન્સફર) ડી.બી.ટી. યોજના મારફત વિદ્યાર્થી દીઠ એક વખત રૂ.૨૦,૦૦૦/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછુ હોય તેટલો સીધો લાભ આપવામાં આવશે. |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
|
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી | મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત,
ગાંધીનગર
પ્રાયોજના વહીવટદારશ્રી,
પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, (ટી.એસ.પી.)
તમામ આદિજાતિ જીલ્લા. |
અરજી સમયે રજુ કરવાના થતા પુરાવા | I. અરજદાર વિદ્યાર્થીનો ફોટો
II. અરજદારના આધારકાર્ડનો ફોટો
III. સ્નાતકની માર્કશીટનો ફોટો
IV. આવકનો દાખલો
V. જાતિનું પ્રમાણપત્ર
VI. બેંક ખાતાની પાસબુકનો ફોટો |